અછાંદસ




મળે



કેવું હેં...અચાનક રસ્તા માં જતાં,
સાવ અજાણ્યા જણ ને કોઈ ઓળખિતૂ મળે...
ઠાંસી ઠાંસી ને ભરેલું ભવ નું ભાતૂ,
સાવ અગોચર વન માં જ સંજીતૂ મળે..
અવાવરું ને,ધે ભયંકર, મન ની કેડી નિર્જન નિર્જન,
પણ ઘણુ ઘણુ ત્યાં પરવર ને શોધંતૂ મળે...
કાયા ને કોરી કોરી,આ વય ની ફાટફાટ એ,
મારી ભીતર કાંઇક ઘટે કાંઇક વધતૂ મળે..
ચાલ ને 'અલ_મસ્ત' ધૂળ ધૂળ આ મારગ માથે,
જણ તારું પોતાનુ કો'ક રખડતૂ મળે..

-##અલ_મસ્ત

connect on facebook
chintanlakhani41195@gmail.com





--------------------------------------------------------------------------------------------------------------------------

આજ નાં વિચારકો કે જેમની આગળ હુ "કુ " (કૂવિચારકોં)મારા ઘરનું ઉમેરવાનું પસંદ કરીશ..જેમને કાઈ જાણ્યા જોયા વગર બસ પોતાનો વિચાર કેતા કૂવિચાર પ્રગટ કરવામાં વધું રસ હોય છે તેમને સમર્પિત...


છે અજબ રીતો,અજબ દુનિયા નાં લોકો ની,
કૃષ્ણ ની નિંદા કરી ને બોધ ગીતા નો જ દે છે...
રામ ને કયારેક એ રાવણ ની સાથે સરખાવે,
ને પછી દ્રષ્ટાંત કોઈ માનસ(રામચરિતમાનસ) 
નું કાઢી સંભળાવે,
સંસ્કૃતિ ની સાવ એ ઈજ્જત ઉતારી લે છે..
સંસ્કાર ક્યાં રહ્યાં છે આ કલિયુગ મા ?
પાછા એવું ય કે છે...
ભાઈ,તુ એક  સુધરી જા,
જો બધાં પ્રાણીઓ એની પ્રકૃતિ માં જ રે'છે...

-##અલ_મસ્ત

No comments:

Post a Comment